કાલથી ૪ દિવસીય 'વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમીટ'
કૃષિ વિકાસની વિશેષ ચર્ચા થશે : ૧૫ હજાર ખેડૂતો આમંત્રિત : મહાનુભાવોના હસ્તે ઉદ્દઘાટન
રાજકોટ, તા ૧૯ : કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની આવક ૨૦૨૨માં બમણી થઇ તેવું ઈચ્છી રહી છે ત્યારે રાજકોટમાં આવતીકાલથી ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે જેનાઉદદ્યાટન સમારોહમાં સૌરભભાઈ પટેલ,કૃષિ મંત્રી આર સી ફળદુ તેમજ ફૂડ અને સિવિલ સપ્લાય મંત્રી જયેશભાઈ રાદડિયા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આમતો આ પેહેલા રાજકોટમાં પેહેલી વખત વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમિટ યોજાઈ હતી ત્યારે ઉદ્યોગને અનેક એમ ઓ યુ પણ સાઈન થયા હતા ત્યારે આ વખતે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો સમિટનું મુખ્ય ફોકસ એગ્રી ગ્રોથ કેવી રીતે મેળવી શકાય અને ખેતરમાં કયાં પાકનું વાવેતર મગફળી અને કપાસમાં વધુ પાક અને સારો પાક કેવી રીતે લઇ શકાય સહિતના કૃષિ આધારિત મુદ્દાને સ્થાન આપવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીયેશનના પ્રેસિડેન્ટ સમીરભાઈ શાહ એ જણાવ્યું કે કે આ વખતે અમે મગફળી અને સીંગતેલ ઉપર પણ મુખ્ય ફોકસ કરીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સીંગતેલ અંગે લોકો વધુ જાગૃત બને તે માટેના પ્રયાસો પણ આ સમિટમાં હાથ ધરાશે આ ઉપરાંત કેન્દ્ર સરકાર સાથે આવનારા દિવસોમાં ઉદ્યોગનું મહત્વ વધુ કેમ પ્રસ્થાપિત થઇ તેમાટેના પ્રયાસો હાથ ધરાશે
આ સમિટના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું ગુજરાત પાસે કૃષિ પેદાશ વધારવા માટે હજુ પણ વિપુલ તક છે અને તેનો વ્યાપ કેવી રીતે વધારવો તેની પણ ચર્ચા થશે અને સાથોસાથ ખેડૂતોએન આધુનિક ટેકનોલોજીથી પણ માહિતગાર કરવામાં આવશે.
મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને અન્ય વિવિધ રાજકીય - સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચાર દિવસની આયોજનોમાં આધ્યાત્મિક મંગળચરણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે ૪ કલાકે કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ મંત્રી દ્વારા વિધિવત ઉદઘાટન થશે. સાથોસાથ પૂ. અપૂર્વ સ્વામી, જય વસાવડા વગેરે લોકો પોતાની વાત કરશે અને બે દિવસ મ્યુઝીકલ નાઈટ અને સનંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે.
પહેલી વખત ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ પણ ભારતીય ઇકોનોમીમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગનું પ્રદાન પણ વિશેષ વકતવ્ય પણ આપશે.(૩૭.૧૩)