News of Tuesday, 19th March 2019
શહેરના રસ્તાઓ તાત્કાલીક રીપેર કરોઃ કોંગ્રેસ
વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયા દ્વારા મ્યુ. કમિશ્નરને ઉગ્ર રજૂઆત
રાજકોટ તા. ૧૯ :.. રોડ - રસ્તા - શેરીઓની દશા માઠી છે, ત્યારે આ અંગે યોગ્ય કરવા વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયા દ્વારા મ્યુ. કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે મનસુખભાઇએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૦ સહિત પશ્ચિમ રાજકોટના અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા, શેરીઓની દશા માઠી થઇ છે. કરોડોના ખર્ચે કરવામાં આવેલ પેવીંગ બ્લોકને ઉખેડી નાખવામાં આવ્યા છે. રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ તથા માટી - મટીરીયલના ઢગલાઓ જેમના તેમ લાંબો સમયથી પડયા રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ અંગે તાત્કાલીક કરવા વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાએ કમિશ્નરને યોગ્ય કરવા માંગ કરી છે.
(3:36 pm IST)