ભારત જૈન સંઘમાં પૂ. ઉત્તમ ધીર ગુરૂદેવના સાંનિધ્યે સાધ્વી રત્નાને ગુણાંજલિ અર્પણ
શ્રી ભારત સોસાયટી (પૂર્વ વિભાગ) સ્થાનકવાસી જૈન સંઘ સુરેન્દ્રનગર ખાતે ગોંડલ સંપ્રદાયના વડેરા સાધ્વીજી પૂ. ગુલાબભાઇ મ.સ.ની ગુણાંજલી સભા પૂ. રામ ઉત્તમ મુનિજીની નિશ્રામાં યોજાયેલ.
પૂ. રામ ઉત્તમ મુનિ મ.સા., પૂ. ધીરજમુનિ મ.સા. આદિ ૧૨ સંતો અને પૂ. જયંતિકાજી મ.સ., પૂ. પૂર્ણિતાજી મ.સ., પૂ. નયનાજી મ.સ. આદિ વિશાળ સંખ્યામાં મહાસતીજી વૃંદ બિરાજીત હતા. દરિયાપુરી અજરામર ગોપાલ સંપ્રદાય વતી ગુણાંજલી રાજુભાઇ મારવાડીએ અર્પણ કરેલ. પૂ. શ્રી ધીરગુરૂદેવ અત્રેથી વિહાર કરી બોટાદ પધાર્યા બાદ તા. ૨૪ ના જોરાવરનગરમાં ધીર-જયોત આરાધના ભવનના ઉદ્ઘાટનમાં પધારશે.
ગુણાંજલી સભામાં રમણીકભાઇ ડગલી, જશુભાઇ દોશી, હસમુખભાઇ શાહ, ડી.વી. શાહ, ભુપેન્દ્ર સંઘવી, શૈલેશભાઇ ડગલી, ભીખાભાઇ દોશી, ગુણવંત દલાલ, નિરંજન ડગલી, મુકેશભાઇ ડેલીવાલા, પંકજભાઇ કોલસાવાળા, વગેરે જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. પૂ. દીપકુમારમુનિ મ.સા. એ મુકિતની ચાવી બતાવી સભાને પૂર્ણ કરેલ.