જય નેજાધારી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મે માસમાં ભાગવત કથા - સમુહલગ્ન
રાજકોટ તા. ૧૯ : જય નેજાધારી માનવ સેવા ટ્રસ્ટ અને એકતા મિત્ર મંડળ દ્વારા મે માસમાં ભાગવત સપ્તાહ અને સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે દર વર્ષની જેમા આ વર્ષે પણ તા. ૧૨-૫-૨૦૧૯ ના સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
આ સમુહલગ્નના લાભાર્થે તા. પ-પ-૨૦૧૯ ના રવિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજવામાં આવી છે. જેના વ્યાસાસને શાસ્ત્રી નટવરલાલ મહેતા કોટડાપીઠાવાળા બિરાજી કથામૃતનું રસપાન કરાવશે.
સમુહલગ્નમાં જોડાવા ઇચ્છુકોએ તા. ૧ મે સુધીમાં જય નેજાધારી માનવ સેવા ટ્રસ્ટના કાર્યાલય જલજીત હોલ પાસે, રંગલા મોબાઇલ શોપની ઉપર, વાણીયાવાડી મેઇન રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં વિગતો વર્ણવતા સંસ્થાન પ્રમુખ હરીભાઇ રાઠોડ (મો.૭૩૫૫૮ ૫૮૫૮૭), ટ્રસ્ટી હરેશભાઇ પાનસુરીયા (મો.૯૮૭૯૧ ૧૮૪૯૧), અશોક બી. ઠુંમર, હરેશ ડી. પાનસુરીયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૭)