કરાર આધારિત અધિકારીઓની કામગીરીનો મૂલ્યાંકન અહેવાલ ઓનલાઇન નહિ
સરકારે અગાઉની સૂચના રદ કરી, હવે ઓફલાઇન અહેવાલ
રાજકોટ તા. ૧૯: રાજ્ય સરકારે વયનિવૃતિ બાદ કરારીય નિમણુંક પામેલા વર્ગ-૧-૨ના અધિકારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ ઓનલાઇન ભરવા અંગેની અગાઉની સૂચના રદ કરી છે. આ અમે સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ એ.એચ. મનસૂરીની સામાન્ય સહીથી તા. ૧૫-૦૨-૨૦૨૦ના રોજ પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે.
પરિપત્રમાં જણાવાયુ છે કે સરકારની કાળજી પૂર્વકની અને પુખ્ય વિચારણાને અંતે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી પ્રસિદ્ધ થયેલ વચનિવૃતિ બાદ કરારીય નિમણુંક પામેલા વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ 'ઓનલાઇન' ભરવા અંગેની સુચનાઓ રદ કરવામાં આવે છે.
હવે સામાન્ય વિભાગના તા. ૩૧/૩/૨૦૧૮ના ઠરાવ અન્વયે વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુંક પામેલ વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓ માટે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ 'ઓફલાઇન' ભરવા અંગેની સુચનાઓ તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૮૫/૦૩/૨૦૧૯ના ઠરાવ અન્વયે વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુંક પામેલ વર્ગ-૩ના કર્મચારીઓ માટે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ ઓફલાઇન' ભરવા અંગેની સુચનાઓ અમલમાં રહેશે