મહાશિવરાત્રીએ ૧૧ દીકરીઓ - સંતો - મહંતોના હસ્તે શિવ શોભાયાત્રાનું થશે પ્રસ્થાન
વિવિધ સંસ્થાન - મંડળો - ધર્મપ્રેમીઓને આમંત્રણ
રાજકોટ, તા. ૧૮ : આગામી તા.૨૧ને શુક્રવારના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ધ્વજારોહણ, રૂદ્રભિષેક રૂટ પર ધ્વજા પ્રચાર, પસાર બેનર વગેરેનો કાર્યક્રમ કરવામાં આવેલ છે.
શિવ શોભાયાત્રાનું તા.૨૧ને શુક્રવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે ૧૧ દિકરીઓ તથા સંતો, મહંતો તથા વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી તથા દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીના હસ્તે પ્રસ્થાન કરવામાં આવશે. જે ડી.જે.ના સથવારે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરેથી મવડી ફાયર બ્રિગેડ / બેગબોન શોપ, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મલા રોડ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રૈયા ચોકડી થઈને રૈયા ગામ, દશનામ ગોસ્વામી સમાજનું સમાધી સ્થાને સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી / મહાપ્રસાદ બાદ સમાપન કરવામાં આવશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
આયોજનમાં મહંતો જયેશગીરીબાપુ, કમલેશગીરીબાપુ, હરેશગીરીબાપુ, રામેશ્વરગીરી (ઉજ્જૈન)બાપુ, રતનગીરી (ઉજ્જૈન)બાપુ, બ્રહ્મગીરીબાપુ, ધર્મરાજગીરીબાપુ, ભારતીબાપુ, કિશોરગીરીબાપુ, સંજયગીરી ગોસ્વામી, હિરેનગીરી ગોસ્વામી વિ. જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)