આનંદનગર સાધના હોલમાં લગ્ન પ્રસંગે જમવા આવેલા પ્રોૈઢનું મોત
મુળ ગીરના ધ્રોકડવાના ઉગાભાઇ આજીડેમ ચોકડીએ કોલેજમાં સિકયુરીટી ગાર્ડ હતાં: હાર્ટએટેક આવી ગયો
રાજકોટ તા. ૧૮: મુળ ગીરના ધ્રોકડવાના અને હાલ આજીડેમ ચોકડી પાસે બી. કે. મોદી ર્ફામસી કોલેજમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં અને ત્યાં ચોકીદારની રૂમમાં રહેતાં ઉગાભાઇ લક્ષમણભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦) નામના વણકર પ્રોૈઢ ગત સાંજે આનંદનગરમાં સાધના હોલ ખાતે સ્ટાફમાં કોઇના લગ્નપ્રસંગનો જમણવાર હોઇ ત્યાં જમવા માટે આવ્યા હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મૃતક ચાર ભાઇ અને પાંચ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. તેઓ સિકયુરીટી તરીકે નોકરી કરતાં હતાં. મૃતદેહને વતન ધ્રોકડવા લઇ જવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં ભકિતનગરમ પીએસઆઇ એ. વી. પીપરોતરે જરૂરી કાર્યવાહી કરી હતી.