News of Tuesday, 19th February 2019
પદાધિકારીઓ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મજયંતી પુષ્પાંજલી અર્પણ
રાજકોટઃ- મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૯/૦૨/૨૦૧૯ના છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૨મી જન્મજયંતિ નિમિત્ત્।ે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઈ મહેતા, આસીસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા, તેમજ અગ્રણી વિનોદભાઈ પેઢડીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(4:30 pm IST)