રાજકોટ
News of Tuesday, 19th February 2019

વિર જવાનો અમર રહોઃ ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ તથા કર્મચારી મહામંડળ દ્વારા રેલીઃ શ્રધ્ધાંજલી અર્પણ

જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આત્મઘાતી હૂમલામાં ૪૪ સીઆરપીએફ જવાનો શહિદ થયા હતાં. જવાનો માટે દેશભરમાં કેન્ડલ માર્ચ, શ્રધ્ધાંજલી સભા સહિતના આયોજનો યોજાય રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ તથા ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા આજે બહુમાળી ભવનથી રેલી કાઢી શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. બન્ને સંગઠનના બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં. આ રેલી કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી. રેલીમાં વિવિધ પ્લે કાર્ડ, બેનરો દ્વારા દેશની રક્ષા કાજે શહિદ જવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી પાઠવાઇ હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:28 pm IST)