રાજકોટ
News of Tuesday, 19th February 2019

જનરલ બોર્ડમાં શહિદોને શ્રધ્ધાંજલીઃ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ૧ મહિનાનું વેતન અર્પણ

રાજકોટઃ ગત ગુરૂવારના જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર થયેલ આતંકી હુમલાની ઘટનાના પગલે અપગ્રેડેશનમાં પ્રચંડ આક્રોશ ફાટી નિકળ્યો છે ત્યારે કોર્પોરેશનનું રૂ. ૨૧.૨૬ અબજનું બજેટ મંજુર કરવા આજે સવારે મળેલ જનરલ બોર્ડના પ્રારંભે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરતો શોક ઠરાવ કરાયો હતો અને તમામ સભ્યો અને અધિકારીઓ દ્વારા બે મીનીટ મૌન પાળવામાં આવ્યુ હતું. આ બોર્ડમાં મેયર બીનાબેન આચાર્ય, સ્ટે. ચેરમેન ઉદય કાનગડ તથા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ તમામ કોર્પોરેટરનું એક મહિનાનું વેતન શહિદો માટે અર્પણ કરવા જણાવ્યુ હતુ (તસ્વીરઃ અશોક બગથરીયા)

(5:52 pm IST)