રાજકોટ
News of Tuesday, 19th February 2019

કોલકત્તાના ૧૭ વર્ષના મંગલ સરનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ રહી ઇમિટેશનનું કામ કરતો હતો

રાજકોટ તા. ૧૯: ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ સામે સિલ્વર નેસ્ટ સોસાયટી પાસે રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં યાસીનભાઇ શેખને ત્યાં એકાદ વર્ષથી રહી ઇમિટેશનનું કામ કરતાં કોલકત્તાના મંગલ ગોપાલભાઇ સરન (ઉ.૧૭)ને ટીબીની બિમારી હોઇ તા. ૨૪/૧થી દવા ચાલુ હતી. મોડી રાત્રે ત્રણેક વાગ્યે તે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. થોરાળાના પીએસઆઇ આર. એમ. કોટવાલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)