રાજકોટ
News of Tuesday, 19th January 2021

મંદી ગાયબ ? રેલનગર વિસ્તારમાં ૧૫ દુકાનની હરરાજીઃ મ.ન.પા.ને ૧.૯૫ કરોડની આવક

તમામ દુકાનો વેચાઇ ગઇ એક દુકાનની હાઇએસ્ટ કી.૧૮.૭૦ લાખ તથા સૌથી ઓછા રૂ.૧૧.૩૦ લાખ ઉપજયાઃ પ૧ લોકોએ હરરાજીમાં ભાગ લીધો હતો

મ.ન.પા.દ્વારા રેલનગર વિસ્તારમાં આવેલ ત્રણ ટાઉનશીપની ૧પ દુકાનોની હરરાજી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકા દ્વારા રેલનગર વિસ્તારમાં નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ડો.હેડગેવાર ટાઉનશીપ અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ ૧પ દુકાનોની આજે જાહેર હરરાજી કરવામાં આવી હતી. તમામ દુકાનોનું વેંચાણ થતા તંત્રને રૂ.૧.૯પ કરોડની આવક થવા પામી હતી. આ દરમ્યાનમાં પ૧ અરજદારોએ રસ દાખવ્યો હતો એક દુકાનની ૧૮.૭૦ લાખ આવ્યા હતા.

 મહાનગરપાલિકા દ્વારા નિર્મણ પામેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ડો. હેડગેવાર ટાઉનશીપ અને મહર્ષિ અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ ૧પ દુકાનોની આજે જાહેર હરરાજી કરવામાં આવી હતી તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેચાણ થયેલ છે. આ દુકાનોની હરાજીથી મહાનગરપાલિકાને કુલ ૧.૯પ કરોડની આવક થયેલ છે આ હરરાજીમાં એક દુકાનની હાઇએસ્ટ કીમત ૧૮.૭૦ લાખ મળેલ છે. જેમાં અપસેટ પ્રાઇસ ૮.૬૦ લાખ રાખવામાં આવેલ હતી. જયારે સૌથી ઓછા એક દુકાનના ૧૧.૩૦ લાખ આવ્યા હતો દુકાનની સાઇઝ ૧૦.૬૮ ચો.ની કાર્પેટ છે.

 તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવેલ હતું  આ જાહેર હરરાજી તમામ અરજદારો માટે રાખવામાં હતી જેમાં પ૧ અરદજદારોએ ભાગ લીધો હતો હરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા ડીપોઝીટ રાખવામાં આવી હતી. જે અરજદારોએ રૂ. એક લાખ રોકડા અથવા બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ ભરી હરાજીમાં ભાગ લીધો હતો. ડીપોઝીટની રકમ હરરાજી પુર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવી હતી.

(4:25 pm IST)