રાજકોટ
News of Tuesday, 19th January 2021

સીએ ઇન્સ્ટીટયુટના રાષ્ટ્રીય નેતાઓ રાજકોટની મુલાકાતે : પરીસંવાદથી માર્ગદર્શન

રાજકોટ : ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના રાષ્ટ્રીય પ્રમુખ સીએ અતુલકુમાર ગુપ્તા અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ સીએ નિહાર જાંબુસરીયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ, ભાવનગર, જામનગર શાખાની આ સંયુકત મુલાકાત દરમિયાન રાજકોટ ખાતે સેન્ટ્રલ કાઉન્સીલ સભ્યો સીએ અનિકેત તલાટી, સીએ જય છાયરા, સીએ અનિલ ભંડારી તેમજ સીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. કોરોના કાળમાં સીએ ઇન્સ્ટીટયુટ પણ અર્થતંત્રને કઇ રીતે ઉપયોગી બની રહેલ છે તેની છણાવટ કરી હતી. નવી ટેકનોલોજીને આત્મસાત કરવા શીખ આપેલ. ફાઇનાન્સીયલ રીપોર્ટમાં સામાન્ય રીતે શું ભુલો થાય છે અને તેને કઇ રીતે નિવારી શકાય તે અંગે સીએ ચિંતન પટેલનો ર કલાકનો વર્કશોપ પણ ગોઠવવામાં આવ્યો હતો. અંતમાં આભારવિધિ સીએ હાર્દીક વ્યાસે કરી હતી. સમગ્ર કાર્યક્રમો માટે શાખા ચેરમેન વિનય સાકરીયા, વાઇસ ચેરમેન તથા વિકાસાના ચેરમેન સીએ હાર્દીક વ્યાસ, બ્રાંચ નોમીની સીએ હીતેશ પોમલનું યોગદાન રહ્યુ હતુ.

(3:14 pm IST)