News of Thursday, 18th October 2018
રેસકોર્ષ મેદાનમાં આજે સાંજે ૬૦ ફૂટના પુતળાનું દહન
રાજકોટ : વિ.હી.પ. અને બજરંગ દળ દ્વારા રેસકોર્ષના મેદાનમાં આજે સાંજે રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. રાવણનું ૬૦ ફૂટ મોટુ અને મેઘનાથ તેમજ કુંભકર્ણના ૩૦-૩૦ ફૂટના પુતળા બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમ શાર્પ સાંજે ૭ વાગ્યે શરૂ થશે અને ૮ વાગ્યે પૂર્ણ થશે. આ પ્રસંગે આર્મીના જવાનોનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ આતશબાજીનો પણ કાર્યક્રમ રાખેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૯)
(3:52 pm IST)