રાજકોટના વણકર આધેડ, માતા અને પુત્ર પર વાંકાનેરના પીપળીયામાં હુમલો
નિવેદ કરવા ગયા ત્યારે મકાનના મનદુઃખમાં કોૈટુંબીક ભાઇઓ તૂટી પડ્યા
રાજકોટ તા. ૧૮: આજી વસાહત આંબેડકરનગરમાં રહેતાં વણકર આધેડ જયેશભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.૪૪), તેના માતા કાંતાબેન કાનજીભાઇ ચાવડા (ઉ.૬૫) અને પુત્ર ભાવીન જયેશભાઇ ચાવડા (ઉ.૧૭) ગઇકાલે વાંકાનેરના રાજ પીપળીયા ગામે નિવેદ કરવા ગયા ત્યારે કોૈટુંબીક ભાઇઓએ ધોકા-પાઇપથી માર મારતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જયેશભાઇ મવડીમાં સસ્તા અનાજની દુકાન ધરાવે છે. તેના સગાના કહેવા મુજબ જયેશભાઇનું એક મકાન પીપળીયામાં પણ છે. એ મકાન બાબતે તેને કોૈટુંબીક ભાઇ ભગા કાળુભાઇ ચાવડા સાથે લાંબા સમયથી મનદુઃખ ચાલે છે. આ કારણે જયેશભાઇ વતન પીપળીયા ગામે જતા પણ નથી. ગઇકાલે તે, તેના માતા અને પુત્ર નિવેદ કરવા ગયા ત્યારે કોૈટુંબીક ભાઇ સહિતનાએ ડખ્ખો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)