રાજકોટ
News of Saturday, 18th September 2021

અનુ.જાતિ મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ભાનુબેન બાબરીયા રવાના

રાજકોટ, તા. ૧૮ :  ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં ૧૮ અને ૧૯ એમ બે દિવસ મળી રહી છે.

જેમાં ગુજરાતમાંથી અનુ. જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી એવા શંભુપ્રસાદ ટુંડીયા, પૂર્વ રાષ્ટ્રીય મંત્રી અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી આત્મારામ પરમાર અને અમદાવાદના પૂર્વ ડે. મેયર એવા દર્શનાબેન વાઘેલા રવાના થયા છે. એમ શ્રીમતી ભાનુબેન બાબરીયાની યાદીમાં જણાવ્યું છે.

(3:43 pm IST)