રાજકોટ
News of Friday, 18th September 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટમાં વધુ બે કર્મચારીઓ પોઝીટીવઃ ૯૬ નેગેટીવ

રાજકોટ, તા., ૧૮: કોરોનાના કહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. આ અપીલ અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીન પેથાણીએ કર્મચારીઓ માટે કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરી છે.

ગઇકાલે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૮૭ કર્મચારીઓના ટેસ્ટ થયા હતા. જેમાં ૩ કર્મચારીઓ પોઝીટીવ આવેલ.

આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા ૯૬ કર્મચારીઓના ટેસ્ટ કરાવતા ર પોઝીટીવ અને ૯૪ કર્મચારીઓનો કોરોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

(4:09 pm IST)