રાજકોટ
News of Friday, 18th September 2020

સત્તાવાર દાવો : ૮૦૦થી વધુ બેડ રાજકોટમાં ખાલી : ૧૦૦૦ સારવારમાં

અફવાઓથી દૂર રહો : ચિંતીત નહિ બનશો : હેલ્પલાઇન નંબરો નોંધી રાખો

રાજકોટ : સત્તાવાર વર્તુળો જણાવે છે કે, રાજકોટ શહેરમાં હાલમાં પી.એમ.એ.એસ.એચ.વાય. બિલ્ડીંગ ખાતે સરકારી ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ૫૬૩ બેડ સાથે કાર્યરત છે. આ ઉપરાંત રાજકોટ ખાતે સમરસ હોસ્ટેલ ખાતે કેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ૫૧૨ બેડ સાથે કાર્યરત છે. તેમજ ઇ.એસ.આઇ.એસ. ખાતે પણ ૪૧ બેડ અને પ્રાઇવેટ હોસ્પિટલના બેડ ઉમેરતા કુલ અંદાજિત ૧૮૦૦ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હાલમાં કોવિડ-૧૯ના પોઝિટિવ દર્દીઓને સારવાર અપાઇ રહેલ છે. તેમાં હાલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના બેડની સંખ્યા બાદ કરીએ તો પણ તમામ હોસ્પિટલો ખાતે ૮૦૦થી પણ વધુ ખાલી બેડો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલોના વધુ બેડો ઉપલબ્ધ થનાર છે. આથી આ બાબતે કોઇ એ પણ ચિંતીત ન થવા અને અન્ય અફવાઓથી દુર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. તેમજ બેડની ઉપલબ્ધ માહિતી મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નં. ૯૪૯૯૮ ૦૪૦૩૮ / ૯૪૯૯૮ ૦૬૪૮૬ / ૯૪૯૯૮ ૦૧૩૩૮ / ૯૪૯૯૮ ૦૬૮૨૮ / ૯૪૯૯૮ ૦૧૩૮૩ ઉપર સંપર્ક કરવા પણ જણાવવામાં આવેલ છે.

(3:44 pm IST)