રાજકોટ
News of Friday, 18th September 2020

ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર કોરોનાના કારણે ર૪મી સુધી બંધ

(દર્શન મકવાણા) જામજોધપુર, તા. ૧૮ : રાજકોટ શહેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઇને તેમજ સૌની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર તા. ૧૮થી તા. ર૪ સુધી મંદિરમાં દર્શન વ્યવસ્થા તેમજ તમામ પ્રવૃતિ સદંતર બંધ રાખેલ છે.

તેમ રાજકોટ રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી રાધારમણદાસજીની યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)