નગરજનોને શ્રમદાન કરવા આહવાન કરતા જીતુભાઈ વાઘાણી
રાજકોટ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઔપચારિક પ્રારંભ પહેલા ''સ્વચ્છતા હી સેવા''ના કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાની હેઠળ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ડે. મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, દલસુખ જાગાણી, અનિલભાઈ પારેખની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. વોર્ડ નં. ૧૩માં સ્વામીનારાયણ ચોક ખાતે વોર્ડના પ્રભારી રાજુભાઈ બોરીચા, પ્રદિપ ડવ, પ્રફુલ કાથરોટીયા, દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટીયા, વોર્ડ મહામંત્રી યોગેશ ભુવા, સંજયસિંહ વાઘેલા, દિનેશભાઈ ટોળીયા, કોર્પોરેટર જયાબેન ડાંગર, કોર્પોરેટર નીતિન રામાણી, હરીભાઈ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, કાન્તિભાઈ ઘેટીયા, બાલાભાઈ બોળીયા, ધર્મેન્દ્ર ડાંગર, સુખદેવસિંહ વાળા, હરીભાઈ કલોલા, કેતનભાઈ વાછાણી, વાલાભાઈ બોરીચા, નારણ બોળીયા, ઘનશ્યામ રૈયાણી, વિશાલ પરમાર, જય બોરીચા, નિરવ રાયચુરા, શિલ્પાબેન, જીજ્ઞાબેન, રસીકભાઈ સાવલીયા, વજુભાઈ લુણાગરીયા, ભરત બોરીચા, રમેશ વેકરીયા, રમેશ બાલાસરા, શૈલેષ ડાંગર, આનંદ જાવીયા, પ્રવિણ રાઠોડ, ગીરધરભાઈ બુટાણી, મુકેશ સોજીત્રા, પરસોતમભાઈ વેકરીયા, ભરતભાઈ વેકરીયા, સંજય વસોયા, સંદિપ અંબાસણા, સવિતાબેન ચૌહાણ સહિત વોર્ડના કાર્યકર્તાઓએ શ્રમદાન કર્યુ હતું.