News of Thursday, 18th August 2022
વિવિધ સમાજના લોકો પરંપરાગત પોષાકમાં કાલની ધર્મયાત્રામાં જોડાય
સામાજિક અગ્રણી રાજુ જુંજાની ભાવિકોને અપીલ
રાજકોટ : ગુજરાતમાં સૌથી મોટી જન્માષ્ટમી રથયાત્રા કાલે શુક્રવારના મવડી ચોકડી ખાતેથી સવારે ૮ કલાકે પ્રારંભ થનાર છે. સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ભગવાનના દર્શનાર્થે સામાજીક અગ્રણી અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યાક્ષ રાજુ જુંજાએ અપીલ કરી છે. યાત્રામાં સાધુ-સંતો અને મહાનુભાવો પણ જોડાશે. માલધારી સહિત વિવિધ સમાજના લોકોએ પારંપારિક પોશાકમાં શોભાયાત્રામાં જોડાવા રાજુ જુંજાએ આહ્વાન કરેલ છે.
(3:43 pm IST)