News of Thursday, 18th August 2022
દરબારગઢ બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં કાલે રાત્રીના ૧૨.૩૦થી ૨ સુધી દર્શન
રાજકોટ તા.૧૯ શુક્રવારે જન્માષ્ટમી ઉત્સવનું શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી, દરબાર ગઢ, ખાતે દર વર્ષની જેમ આયોજન કરવામાં આવેલ છે. શ્રીકૃષ્ૅણજન્મોત્સવના દર્શન રાત્રીના ૧૨.૩૦ વાગ્યાથી ૨ વાગ્યા સુધી થશે. વ્યવસ્થાના ભાગરૂપે પાર્કીગ વ્યવસ્થા આ સમયે નદીના કાંઠે રાખેલ છે. હવેલીના પ્રેવશદ્વાર સુધી વાહન આવી શકશે નહી. જેની દરેક વૈષ્ણવો એ નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે.
(3:26 pm IST)