રાજકોટ
News of Wednesday, 18th July 2018

રેલ્વે સ્ટેશને લોકો પાયલોટ રનીંગ સ્ટાફની ભૂખ હડતાલ

ઓલ ઈન્ડિયા લોકો રનીંગ સ્ટાફ એસોસીએશનના નેજા હેઠળ વિવિધ માંગણીઓ સાથે હડતાલ

રાજકોટ : ઓલ ઈન્ડિયા લોકો રનીંગ સ્ટાફ એસોસીએશનના નેજા હેઠળ વિવિધ માંગણીઓ સંદર્ભે લોકો પાયલોટ રનીંગ સ્ટાફના કર્મચારીઓ ત્રણ દિવસની ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે. રાજકોટના રેલ્વે સ્ટેશન ખાતે પણ આ કર્મચારીઓ સંઘના સેક્રેટરી હિરેનભાઈ મહેતાએ મુલાકાત લીધી હતી. લોકો પાયલોટ રનીંગ સ્ટાફે ગઈકાલથી રેલ્વે સ્ટેશનો ઉપર ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં આ કર્મચારીઓ જોડાયા છે. માઈલેજના રેટનું નિર્ધારણ ફોર્મ્યુલા ૧૯૮૦ મુજબ કરવા, જાન્યુઆરી ૨૦૧૬ પહેલાના નિવૃત થયેલા રનીંગ સ્ટાફને પેન્શનનો લાભ આપો. આ સહિતની માંગણીઓ સાથે રેલ્વે કર્મી.ઓ ભૂખ હડતાલ ઉપર બેઠા છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(12:26 pm IST)