રાજકોટ
News of Wednesday, 18th July 2018

પૂરવઠા નિગમના ગોડાઉનમાં DSOના દરોડા ૨૦૦ ગુણી ઘઉં-ચોખા ગૂમ થવા અંગે તપાસ

તરઘડીયામાં પણ તપાસ અર્થે ટીમ દોડી ગઈઃ ધમધમાટ

રાજકોટ, તા. ૧૭ :. આ લખાય છે ત્યારે બપોરે ૨II વાગ્યે રાજકોટ જીલ્લા પૂરવઠા અધિકારી શ્રી જોષી પોતાના ઇન્સ્પેકટરોની ટીમ સાથે રાજકોટ પૂરવઠા નીગમના ગોડાઉનમાં દરોડાનો દોર શરૂ કર્યો છે, તાજેતરમાં જ  ૨૦૦ ગુણી ઘઉં-ચોખા ઓછા નીકળ્યા હતા, એમાં મોટો હોબાળો થયો હતો, આ પછી તપાસનો ધમધમાટ શરૂ થયો  છે.

આ ઉપરાંત આ ઘઉં-ચોખા તરઘડીયા બાજૂ પગ કરી ગયાની શંકાએ પૂરવઠાની એક ટીમ  તરઘડીયા ખાતે પણ દોડી ગઇ છે, તપાસ ચાલુ છે, સાંજ સુધીમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવો નિર્દેશ મળી રહયો છે.

(4:35 pm IST)