મનોરમાબેન ચીમનલાલ શાહ ટ્રસ્ટ દ્વારા પંચતીર્થ યાત્રા
શ્રીમતી મનોરમાબેન ચીમનલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના બેનર તળે તાજેતરમાં ચીમનભાઇ શાહ વટવાવાળા તથા બન્ને પુત્રો ચિ. પિનાકિનભાઇ, પરેશભાઇ શાહ દ્વારા તણ મોટી એ.સી. બસ અને ફોર વ્હીલ દ્વારા હલ્દી ઘાટી, એકલીંગજી, ગૌશાળા, સાવરીયા શેઠ, શ્રીનાથજીની પાંચ દિવસની પંચતીર્થ યાત્રા નિઃશુલ્ક ધોરણે ગોઠવવામાં આવી હતી. નિકટ કુટુંબીજનો મળી ૨૨૧ યાત્રીઓ સાથે જોડાયા હતા. અમદાવાદ સ્વામીનારાયણ મંદિરમાં પ્રસાદ ગ્રહણ કરી યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. રાજકોટથી મશીનરી ડીલર્સ એસો.ના પ્રમુખ મનસુખભાઇ પટેલ, ભાડલા વૈષ્ણવ સમાજના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, કિશોરભાઇ જીવાણી, શશીકાન્તભાઇ બાબરીયા, અજયભાઇ બાબરીયા, રાકેશભાઇ કલ્યાણી પરિવાર જોડાયા હતા. તમામ યાત્રીઓની ચીમનભાઇ તથા તેમના પરિવારે સુખરૂપ આગતા સ્વાગતા કરી હતી. શ્રીમતી તૃપ્તીબેન, પરેશભાઇ શ્રીમતી પુજાબેન, જમાઇ નિલેશભાઇ કલ્યાણી, શ્રીમતી જીજ્ઞાબેન કલ્યાણી, પૌત્ર હાર્દીકભાઇ, શ્રીમતી પ્રિયાબેનનું આ તકે અભિવાદન કરાયુ હતુ.