જીવદયા ગ્રુપ દ્વારા ગૌમાતાને ચારો અર્પણ
જીવદયા ગ્રુપ તથા સેવા ગ્રુપ દ્વારા તાજેતરમાં કિશાન ગૌશાળામાં ૪૫૦ મણ લીલી મકાઇનો ચારો ગૌ માતાઓ માટે અર્પણ કરાયો હતો. દાતાઓ સ્વામી વિવેકાનંદ યુથ કલબના હસુભાઇ શાહ, મુકેશભાઇ બાટવીયા, સમીરભાઇ કામદાર, નૈમીષ શાહ અને અન્ય સદસ્યોનો સહકાર મળ્યો હતો. ઉપેનભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશ મોદી, નીરવ સંઘવી, હીતેશ દોશી, હર્ષદ મહેતા, હીમાંશુ ચીનોય, હીરેન કામદાર, નીશીત દોશી, પારસ મોદી, ભરત બોરડીયા તેમજ સેવા ગ્રુપના સભ્યો નૈમેષ શાહ, મુકશ વાઘેલા, નૈમીષ વસા, વીરલ દોશી, કિશાન ગૌશાળાના ચંદુભાઇ ઢેઢી ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ બાબા સીતારામ ગૌસેવા મંડળના સમીર કામદાર, મિતેશ હરસોરા દ્વારા કચ્છની નીરાધાર ગૌમાતાઓને પ૦૦ મણ લીલી જાર પણ અર્પણ કરવામાં આવી હતી.