રાજકોટ
News of Tuesday, 18th June 2019

જીવતા પશુઓની નિકાસ પર પ્રતિબંધનો શંખનાદ

 મુંબઇના આઝાદ મેદાન ખાતે જીવંત પશુઓની નિકાસ પર કાયમી પ્રતિબંધ માટે જન ચેતના જાગરણ અભિયાનનો શંખનાદ કરાયો હતો. ધ્યાને ફાઉન્ડેશન અને ઇન્ડીયન એનીમલ પ્રોટેકશન ફોર્સના નેજા હેઠળ હાથ ધરાયેલ આ જનજાગરણ કાર્યક્રમમાં દેશભરની વિવિધ સામાજીક સેવાભાવી સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. રાજકોટથી એનીમલ વેલ્ફેર બોર્ડના રાજેન્દ્રભાઇ શાહ, મિતલભાઇ ખેતાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)