News of Tuesday, 18th May 2021
૨૧મીના સાંજના ૬ સુધી દૂકાનો બંધ રાખવાની, રાત્રી કર્ફયુ પણ યથાવત
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ લંબાવ્યું
રાજકોટ તા. ૧૮: કોરોનાને કારણે અમલમાં મુકાયેલા કર્ફયુ અને આંશિક લોકડાઉનની મુદ્દત ગઇકાલે પુરી થઇ ગઇ હોઇ તેમાં સરકારે ૨૧મી સુધી વધારો કરતાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અગાઉના જાહેરનામામાં સુધારો કરી ફરીથી બહાર પાડી ૨૧મી સાંજના ૬ સુધી મુદ્દત વધારી છે. તે મુજબ રાત્રે આઠથી સવારના છ સુધીનો કર્ફયુ યથાવત રહેશે અને દિવસે પણ આંશિક લોકડાઉન અમલી રહેશે. જે દૂકાનો આવશ્યક ધારા હેઠળ આવતી હશે એ જ ખુલી રાખી શકાશે. એ સિવાયની દૂકાનો ૨૧મી સાંજના ૬ સુધી બંધ રાખવાની રહેશે. તેમ જાહેરનામાથી પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું છે.
(3:03 pm IST)