હડાળામાં સુમિતાબેનનો કલેશને કારણે ફાંસો ખાઇ આપઘાતઃ ૪ સંતાન મા વિહોણા
રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર આવેલા હડાળા ગામના પાટીયે રહેતી પરિણિતા સુમિતાબેન અજય સોલંકી (ઉ.વ.૨૭) નામની પરિણિતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવથી ચાર સંતાન મા વિહોણા થઇ ગયા છે.
જાણવા મળ્યા મુજબ હડાળાના પાટીયે રહેતી સુમિતાબેને ગઇકાલે બપોરે ઘરમાં દોરડાથી ગળાફાંસો ખાઇ લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ જાણ કરતાં હેડકોન્સ. જી. એમ. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર સુમિતાબેનના લગ્ ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ અજયભાઇ સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. પતિ-પત્નિ વચ્ચે કલેશ થતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મૃતકના માવતર નાના મવા સર્કલ પાસે રહે છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.