માયાણીનગર પાસે પટેલ પાર્કમાં અતુલભાઇ ઘોડાસરાનો ગળાફાંસો ખાઇ આપઘાત
પરિવારજનો સવારે ઉઠયા ત્યારે પટેલ પ્રૌઢ લટકતા જોવા મળ્યાઃ કારણ અંગે તપાસ
રાજકોટ, તા.૧૮: માયાણીનગર નજીક ખીજડીવાળા રોડ પર પટેલ પાર્કમાં રહેતા પટેલ પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ખીજળાવાળા રોડ પર પટેલ પાર્ક શેરી નં.૨માં રહેતા અતુલભાઇ કરશનભાઇ ઘોડાસરા (ઉ.વ.પ૪) એ પોતાના ઘરે નીચેના રૂમમાં દુપટ્ટો પંખામાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઉઠયા ત્યારે નીચેના રૂમમાં અતુલભાઇને લટકતા જોઇ તાકીદે જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા અતુલભાઇનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક અતુલભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે સાયકલના પંચરની દુકાન ધરાવતા હતા. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ પી.એલ.ધામા તથા રાઇટર અરૂણભાઇ ચાવડાએ સ્થળ પર પહોંચી પટેલ પ્રૌઢે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.