રાજકોટ
News of Saturday, 18th May 2019

વાવડીનાં ગૌતમ બુધ્ધ નગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાઃ સ્મશાન પાસે ગંદકી દુર કરાવો

કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

રાજકોટ, તા.૧૮: શહેરના વાવડી વિસ્તારમાં આવેલ ગૌતમ બુધ્ધનગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા દુર કરવા તથા શેરીમાં સ્મશાન પાસે ગંદકી ઠાલવવામાં આવતી હોય તે દુર કરાવવા લતાવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યુ છે.

આ અંગે નટુભાઇ રાઠોડ સહીતના લતાવાસીઓએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગૌતમ બુધ્ધનગરમાં ભુગર્ભ ગટર છે પરંતુ ગંદાપાણીનાં નિકાલ માટેની પાઇપલાઇન નથી જેનાં કારણે વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે. આથી તાત્કાલિક ધોરણે ભુગર્ભ ગટર માટે પાઇપ લાઇન નાંખી આ સમસ્યા દુર કરવી જરૂરી છે.

આ ઉપરાંત આ વિસ્તારમાં સ્મશાન પાસે બાંધકામનો કચરો ઠાલવાથી ગંદકી ફેલાવાઇ રહી છે. જે દુર કરવા તથા સ્મશાનમાં લાઇટ, પાણી, રોડના સુવિધા ઉપલધ્ધ કરાવવાં આવેદનનાં અંતે લત્તાવાસીઓએ માંગ ઉઠાવી છે.

(3:32 pm IST)