રાજકોટ
News of Sunday, 18th April 2021

રાજકોટમાં સદગુરૂદેવ પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુના સદગુરૂ સદન આશ્રમમાં તા.પાંચ મે સુધી પ્રવેશ બંધ રહેશે

દર્શનાર્થીઓ, ધર્મપ્રેમીભાઈ બહેનો તથા ભક્તજનોના હિત તથા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને નિર્ણય

રાજકોટ : હાલમાં આપણે સૌ કોરોના વાયરસની મહામારીમાંથી પસાર થઇ રહ્યાં છીએ ,આ મહામારી અટકે અને વધારે ના ફેલાઈ માટે દર્શનાર્થીઓ, ધર્મપ્રેમીભાઈ બહેનો તથા ભક્તજનોના હિત તથા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને સદગુરુ સદન ટ્રસ્ટે નિર્ણય કરેલ છે કે પ,પૂ,રણછોડદાસજીબાપુ આશ્રમ મંદિર ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે તા, 18થી તા, 5 મેં બુધવાર સુધી રાખવું, જેની સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનોએ નોંધ લેવા જણાવ્યું છે સાથે આ મહામારીથી મુક્ત થઈએ એવી પ,પૂ,શ્રી સદગુરુ ભગવાન શ્રી રણછોડદાસબાપુને પ્રાર્થના કરેલ છે

 

(5:29 pm IST)