રાજકોટની જ્યુબિલી શાક માર્કેટ ભાગ -૧, (૨) જ્યુબિલી શાક માર્કેટ (ડિસ્કો માર્કેટ) ભાગ -૨ અને (૩) લાખાજીરાજ શાક માર્કેટ (ધર્મેન્દ્ર રોડ વાળી) કાલથી તા. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ રહેશે : શાકમાર્કેટ સંગઠનનો નિર્ણય
રાજકોટ: હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરની ત્રણ શાક માર્કેટ તા.19 એપ્રિલ થી તા.30 એપ્રિલ સુધી દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી સ્વૈચ્છાએ બંધ રાખવા અંગેનો નિર્ણય ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. જેની શહેરના દરેક ગ્રાહકે અને વેપારીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવેલ છે. શહેરની જે શાક માર્કેટ બંધ રાખવાના આવે છે.
તેમાં (૧) જ્યુબિલી શાક માર્કેટ ભાગ -૧, (૨) જ્યુબિલી શાક માર્કેટ (ડિસ્કો માર્કેટ) ભાગ -૨ અને (૩) લાખાજીરાજ શાક માર્કેટ (ધર્મેન્દ્ર રોડ વાળી) સમાવેશ કરવામાં આવેલ છે,
તેમ જ્યુબિલી શાક માર્કેટના સંગઠનોના હોદેદારો શ્રી કાંતિલાલ સંઘાણી, મુકેશભાઈ પીપળીયા, પ્રતાપભાઈ ભીમજીભાઈ, પ્રેમજીભાઈ આણંદા ભાઈ અને પ્રવીણભાઈ રામજીભાઈ સંયુક્ત યાદીમાં જણાવે છે.