બજરંગવાડીમાં ફર્ર્નિચર કામ કરતી વખતે છગનભાઇ ફટાણીયાનું મોત
જેન્તીભાઇના ઘરે હાર્ટએટેક આવી ગયોઃ બીજા બનાવમાં વાંકાનેરના નરેન્દ્રભાઇ દવેનું રાજકોટમાં મોત નિપજ્યું
રાજકોટ તા. ૧૮: લક્ષ્મીનગર-૪માં રહેતાં છગનભાઇ માવજીભાઇ ફટાણીયા (ઉ.૪૦) નામના સોરઠીયા પ્રજાપતિ યુવાન બજરંગવાડીમાં કિરીટભાઇ જેન્તીભાઇના ઘરે ગત સાંજે ફર્નિચર કામ કરતાં હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ પટેલે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં એએસઆઇ જયસુખભાઇ હુંબલે જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં મુળવાંકાનેરના લુણસરના નરેન્દ્રભાઇ મનહરલાલ દવે (ઉ.૫૦) રાજકોટ રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં સગાને ત્યાં એચ-બિલ્ડીંગ રૂમ નં. ૬૦૨માં હતાં ત્યારે હાર્ટએટેક આવતાં ગુજરી જતાં મૃતદેહ વાંકાનેર લઇ જવાયો હતો. ત્યાં પોસ્ટ મોર્ટમ થતાં સીટી પોલીસે રાજકોટ પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે તપાસ હાથ ધરી છે.