રાજકોટ
News of Wednesday, 18th April 2018

ભોમેશ્વરવાડીના રસુલભાઇએ ગોંડલમાં ઝેર ગટગટાવ્યું: રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૮: ભોમેશ્વરવાડી-૨માં રહેતાં રસુલભાઇ દાદુભાઇ ગોરી (ઉ.૪૭) નામના મુસ્લિમ આધેડે ગોંડલમાં ઝેર પી લેતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ભોમેશ્વરવાડીના રસુલભાઇ ગોરી ગત સાંજે ગોંડલમાં કોલેજ ચોક રિવર પેલેસ પાસે ઝરે પીધેલી હાલતમાં બેભાન પડ્યા હોઇ તેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ગોંડલ સીટી પોલીસ મથકના હેડકોન્સ. રસિકભાઇ વિશેષ તપાસ કરે છે.

(11:51 am IST)