News of Saturday, 18th January 2020
કલ્યાણ જવેલર્સનો નવો શો રૂમ શીફટ : ઉદ્ઘાટન
રાજકોટ : કલ્યાણ જ્વેલર્સનો શોરૂમ જેનું ડો. યાજ્ઞિક રોડ પર નવી મોકાની જગ્યાએ શિફટ થયો હતો. ઉદ્ઘાટન કલ્યાણ જ્વેલર્સનાં રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર કિેંજલ રાજપ્રિયાએ કર્યુ હતું આ પ્રસંગે કલ્યાણ જ્વેલર્સનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી ટી એસ કલ્યાણરામન તથા એકિઝકયુટિવ ડાયરેકટર શ્રી રાજેશ અને શ્રી રમેશ કલ્યાણરામન ઉપસ્થિત હતા.
ગુજરાતમાં સુરત અને અમદાવાદ સહિત મુખ્ય બજારોમાં ૬ શોરૂમ ધરાવે છે તેમ જણાવતા કલ્યાણ જ્વેલર્સનાં સીએમડી શ્રી ટી સી કલ્યાણરામને કહ્યું હતું કે અમને રાજકોટમાં અમારા ગ્રાહકોને ખરીદીનો લકઝુરિયસ અનુભવ આપવાની ખુશી છે. કલ્યાણ જ્વેલર્સમાં અમે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા તથા ગ્રાહકોને અનુ કૂળ વિવિધ પહેલો દ્વારા જોડાણ કરવા સતત કામ કરીએ છીએ.
(3:58 pm IST)