છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર
રાજકોટ, તા., ૧૮: છરી વડે જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં આરોપીની જામીન અરજી મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.આ બનાવની હકીકત એવી છે કે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોંડલ રોડ પર આવેલ શિવ હોટલ પાસે જનકસિંહ વાળા ઉપર આરોપી શુભમ હરેશગીરી ગોસ્વામીએ છરી વડે જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખી કોશીષ કરી હતી અને ધમકી પણ આપેલ હતી જે અંગેની ફરીયાદ ઇ.પી.કો. કલમ ૩ર૬, પ૦૬(ર) તથા રાયોટીંગની કલમો હેઠળ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો.આ કામના આરોપીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા. જે બાદ આરોપીએ જામીન ઉપર છુટવા માટે અદાલતમાં જામીન અરજી ગુજારેલ હતી. જે બનાવના સંજોગોને ધ્યાને લઇને તથા વકીલોએ કરેલ દલીલો અને ઉચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓને સિધ્ધાંતને ધ્યાને લઇને અદાલતે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામે આરોપી શુભમ હરેશગીરી ગોસ્વામી વતી યુવા એડવોકેટ જાહીદ એન.હિંગોરા અને રાહુલ બી.સોરીયા રોકાયેલ હતા.