રાજકોટ
News of Friday, 18th January 2019

બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ દ્વારા ૨૭મીએ સમુહલગ્નોત્સવઃ ૯ યુગલો જોડાશે

રાજકોટ, તા.૧૮: બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જે છેલ્લા ૨૭ વર્ષથી સતત અવિરત સેવા આપી જ્ઞાતિજનોને લગ્નમાં થતા ખોટા ખર્ચથી બચાવે છે.

આગામી ૨૭ જાન્યુઆરીના રવિવારે આયોજીત સમુહ લગ્નમાં ૯ નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે. 'પવિત્રભૂમિ' ૮૦ ફુટ રોડ ચોકડી, ભાવનગર રોડ, એસ.ટી.વર્ક શોપ, ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે લગ્નોત્સવ થશે.

આ સમુહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ નિકુંજભાઇ જાડા, વિનોદભાઇ મેર, પ્રફુલભાઇ મર્થક, મયુરભાઇ જાડા, જીતેન્દ્રભાઇ બોસમીયા, રાજેશભાઇ આશરા, રાજુભાઇ ગરાચ, જયંતીભાઇ જાજલ, ધવલભાઇ મેર વિનુભાઇ ભારતીબેન શનિશ્વરા, ધરાબેન જાજલ, સુરેશભાઇ મામતોરા, અતુલભાઇ જાજલ, ભુપેન્દ્રભાઇ મામતોરા, જયપ્રકાશભાઇ મામતોરા, હસુભાઇ પડિયા, યોગેશભાઇ જાજલ, સંજયભાઇ પડિયા, રમેશભાઇ ગરાચ, નિતીનભાઇ જાજલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સમુહ લગ્નમાં ભેટ-સોગાદ સહયોગી બનવા કે વધુ માહીતી માટે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ, બોઘાણી શેરી, બોઘાણીનો ડેલો, સોની બજાર, રાજકોટ ખાતે રૂબરૂ અથવા સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:54 pm IST)