રાજકોટ
News of Friday, 18th January 2019

પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી કલ્પજય વિજયજી મ.સા.ની શ્રી મણીયાર દેરાસરજીએ પધરામણી

રાજકોટઃ આજરોજ શુક્રવારના પૂજય ગુરૂદેવશ્રીની પુનીત પધરામણી શ્રી મણીયાર દેરાસરજીએ થયેલ છે. પૂજયશ્રી રાજકોટમાં બે મુમુક્ષુ બહેનોને દીક્ષા પ્રદાન કરવા માટે પધારેલ છે. પૂજયશ્રીના માંગલીક પ્રવેશમાં તથા પ્રવચનમાં અંદાજે ૨૦૦ ભાવીકો ઉપસ્થિત રહ્યા હતા. પૂજયશ્રી આજે આખો દિવસ સ્થીરતા શ્રી મણીયાર દેરાસરજીએ રહેશે. પૂજયશ્રીના દર્શન વંદન માટે પધારવા શ્રીસંઘ તરફથી દીલીપભાઈ પારેખની યાદીમાં જણાવે છે.

(2:53 pm IST)