રાજકોટ
News of Friday, 18th January 2019

ત્વરિત જરૂરી ફેરફારો કરવા ચૂંટણી પંચનો આદેશ

વતનમાં અથવા એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓ બદલાશે

રાજકોટ તા.૧૮: કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ ચૂંટણી પંચના માપદંડ મુજબ બદલવા પાત્ર હોય તો ત્વરિત બદલવા આદેશ આપ્યો છે. રાજકોટ સહિત દરેક કલેકટરને આ બાબતે સુચના આપી દેવાઇ છે.

ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી ઉપરાંત આર.ઓ., એ.આર.ઓ., પોલીસ ઇન્સપેકટર, સબ ઇન્સપેકટર વગેરે હાલ વતનમાં ફરજ બજવાતા હોય અથવા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા હોય તો બદલી કરવા ચૂંટણી પંચે સૂચના આપી છે. મતદાર યાદીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને હાલ નહિ બદલવા સૂચના આપી છે. જો કે રાજ્ય સરકારે મોટાભાગના આ પ્રકારના અધિકારીઓ, કર્મચારીઓની બદલી કરી નાખી છે. બાકીના ફેરફારો ટુંક સમયમા઼ આવી રહયા છે.(૧.૧૧)

(11:34 am IST)