News of Wednesday, 17th November 2021
પડધરીના થોરીયાળી ગામે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરીઃ એટ્રોસીટીની ફરીયાદ
વેરા બીલ બાબતે ડખ્ખો કરી ધમકી આપનાર ભરત શિંગાળા સામે ફરીયાદ
રાજકોટ, તા. ૧૭ :. પડધરીના થોરીયાળી ગામે તલાટી મંત્રીને જાતિ પ્રત્યે અપમાનીત કરી ફરજમાં રૂકાવટ કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.
પડધરીના થોરીયાળી ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ભીખાભાઈ સોંદરવાએ થોરીયાળી ગામના ભરત હરજીભાઈ શિંગાળા સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ આરોપી ભરતે વેરો ભરવા બાબતે ડખ્ખો કરી ફરીયાદીને જાતિ પ્રત્યે અપમાનીત કરી ફરજમાં રૂકાવટ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ડીવાયએસપી મહર્ષિ રાવલ ચલાવી રહી છે.
(2:37 pm IST)