રાજકોટ
News of Wednesday, 17th November 2021

રાજકોટમાં ત્રણ દિવસ બાદ કોરોનાનો ફરી ફુફાંડો : 4 કેસ નોંધાયા:મ.ન.પા.નાં આરોગ્ય વિભાગમાં દોડધામ

વિમલનગરનાં એક જ પરિવારના એક પુરુષ અને બે મહિલા તથા ગોંડલ રોડ પરના લોધાવાડ વિસ્તારમાં એક પુરુષ કોરોના સંક્રમિત: દર્દીનાં કોન્ટેકમાં આવેલા લોકોના ટેસ્ટીંગ કરાયા : ચારેય દર્દીઓએ વેકસીનના બંને ડોઝ લીધા છે

રાજકોટ : દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે . છેલ્લા ત્રણ દિવસનાં વિરામ બાદ આજે સાંજે વિમલનગર વિસ્તારમાં એક જ પરિવારનાં એક પુરુષ અને બે મહિલા તથા ગોંડલ રોડ પરનાં લોધાવાડ વિસાતારનાં એક પુરુષ કોરોના સંક્રમિત થતા મ.ન.પ.નાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે . ચારેય સંક્રમિતોએ વેકસીનના બંને ડોઝ લીધા છે . શહેરમાં હાલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 42,863 સંક્રમિતો નોંધાઇ ચુકયા છે

(9:06 pm IST)