રાજકોટ
News of Wednesday, 17th November 2021

રાજકોટમાં જંકશન પ્લોટમાં તાળા ચાવીની દુકાન ધરાવતા સરદારજીની તેના જ સગા બે સરદારજીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી

રાજકોટઃ શહેરના જંકશન પ્લોટ મેઈન રોડ આંબલિયા હનુમાન પાસે આવેલી વાહેગુરૂ કી સેન્ટર નામની દુકાન ધરાવતા જામનગર રોડ પરા પીપળીયાના સત્યદેવસિંઘ નામના સરદારજી યુવાન પર તે દુકાને હતો ત્યારે એકટીવા પર આવેલા બે શખ્સો છરીથી હુમલો કરી ભાગી જતા જંકશન પોલીસ ચોકીના પીએસઆઇ બી.વી. બોરીસાગર સહિતે તુરંત તેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પણ અહીં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. મારનાર પણ બે સરદારજી ફરજસિંઘ અને તરજીતસિંઘ હોવાનું અને મૃતકના સગા હોવાનું સામે આવ્યું છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં ઘટના સ્થળ અને લોહીલુહાણ હાલતમાં ઘાયલનો હોસ્પિટલમાં ખસેડાયો તે દ્રશ્યો જોઈ શકાય છે. 

 

(6:57 pm IST)