રાજકોટ
News of Tuesday, 17th November 2020

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આજે નૂતન વર્ષની પોતાના પરીવાર સાથે અનોખી રીતે ઉજવણી કરી

રાજકોટ: પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે નવા વર્ષની ઉજવણી કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે સપરિવાર કરી હતી. અનાથ બાળકોને જરૂરી કીટ વિતરણ કરી તેમની સાથે સમય પસાર કર્યો હતો. સાથે જ ઠેબચડા ખાતેથી મળી આવેલ તરછોડાયેલ બાળકી અંબાની પણ મુલાકાત લીધી હતી અને પરિવારજનો સાથે બાળકી અંબા સાથે ગમત કરી હતી.બાળકી અંબાની આ પ્રથમ દિવાળી હોઈ પોલીસ કમિશ્નરે આજે બાલાશ્રમ ખાતે આજનો દિવસ તેમની સાથે વિતાવવાનો નિર્ણય કરેલ હતો.

(7:19 pm IST)