News of Saturday, 17th November 2018
મહાનગરપાલિકા સ્થાપના દિન પ્રસંગે ''સૂરોના સથવારે'' સંગીત સંધ્યાના સ્થળથી મુલાકાત લેતા પદાધિકારીઓ તથા અધિકારીઓ : તડામાર તૈયારી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૯-૧૧ના રોજ મહાનગરપાલિકાના સ્થાપના દિન પ્રસંગે સુપ્રસિદ્ઘ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત 'સૂરોના સથવારે' સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આસીસ્ટન્ટ મેનેજર અમિતભાઈ ચોલેરા તેમજ સંબધક એજન્સીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ, લાઈટ, માઈક, સાઉન્ડ, તેમજ ખુરશી ઉપરાંત ભારતીય બેઠકની વ્યવસ્થા વ્યવસ્થિત થાય અને શહેરના નગરજનો કાર્યક્રમ આનંદથી માણી શકે તેવું આયોજન માટેની ચર્ચા કરવામાં આવેલ.
(3:21 pm IST)