સંતોષીનગર - નારાયણનગર, ૫૩ લાખના ખર્ચે સી. સી. રોડનો પ્રારંભ કરાવતા અરવિંદભાઈ રૈયાણી - ગાયત્રીબા વાઘેલા - દિલીપ આસવાણી
રાજકોટ : અહિંના વોર્ડ નં.૩માં છેવાડાના વિસ્તારમાં સંતોષીનગર શેરી નં.૧ થી ૧૬, તેમજ નારણનગર વિસ્તારના મુખ્ય રોડ તેમજ સાંકળી શેરીઓમાં રૂ.૫૩ લાખના ખર્ચે આજરોજ સીસી કામનું પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ અને જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, કોંગ્રેસ આગેવાન અશોકસિંહ વાઘેલા (એડવોકેટ), વેપારી આગેવાન દિનેશભાઈ કારીયા (વોર્ડ પ્રભારી), મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં કામનો પ્રારંભ કરાયો હતો. આ તકે સ્થાનિક આગેવાનો બાબુભાઈ પરેશા, લાલાભાઈ બારૈયા, વીલાસબા સોઢા, અમૃતભાઈ રાઠોડ, દેવાભાઈ ચાવડીયા, સુરેશભાઈ વકાતર, સવસીભાઈ સોનારા, સુરેશભાઈ સવારેશીયા, મુકતાબેન, ભાવનાબેન, કમળાબેન વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.