વિજયભાઈ આજે સાંજે રાજકોટમાં
ટ્રાફીકબ્રિગેડ, સ્નેહમીલનના કાર્યક્રમમાં હાજરીઃ રાત્રે અમદાવાદ જવા રવાના
રાજકોટ,તા.૧૭: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજરોજ રાજકોટ શહેરની એક દિવસની મુલાકાતે આવી રહેલ છે. તેઓનો પ્રવાસ કાર્યક્રમ આ મુજબ છે.
આજે સાંજે ૬.૧૫ કલાકે મુખ્યમંત્રીશ્રી હવાઇ માર્ગે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અને સાંજે ૬.૩૦ કલાકે પોલીસ કમિશ્નરશ્રીની કચેરી આયોજીત ટ્રાફિક બિગ્રેડ કાર્યક્રમમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ (રૈયા રોડ) ખાતે ઉપસ્થિત રહેશે. સાંજે ૭ કલાકે અમૃત સાગર પાર્ટી પ્લોટ (૧૫૦ ફૂટ રીંગ રોડ) માં રાજકોટ મહાનગર દીવાલી સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૮ કલાકે શ્રી હેમુ ગઢવી હોલમાં શ્રી રમણીક ધામી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૮.૩૦ કલાકે શ્રી પ્રકાશ સોસાયટી દ્વારા આયોજીત સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજરી આપશે. અને રાત્રે ૯.૧૫ કલાકે મુખ્યમંત્રીશ્રી રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.