રાજકોટ
News of Friday, 17th September 2021

'રાજકોટ કા મહારાજા' ગણેશોત્સવમાં સમાજ એકતાના દર્શન

રાજકોટઃ ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ સતત બારમાં વર્ષે 'ભૂદેવ સેવા સમિતિ' દ્વારા દર વર્ષે ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે 'રાજકોટ કા મહારાજા' ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમાં દિવસની મહાઆરતીમાં સંયુકત ચેરીટી કમિશ્નરશ્રી ચિરાગભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પિતાંબર શકિતપીઠ પૂ. ગુરૂજી શ્રી મહેન્દ્રભાઇ રાવલ તેમજ સભ્યોએ પિતાંબર સ્ત્રોતનું ભકતજનોને પઠન કરાવ્યું અને રીધ્ધીસિધ્ધી પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. આજે સાંજે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું સાંજે ૬ થી ૮ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભા.જ.પ.ના કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ, જાણીતા બીલ્ડર્સ અતુલભાઇ બેલાણી, કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશી, સુરેશભાઇ વસોયા, ગજુભાઇ જોશી પરિવાર, કિશનભાઇ ટીલવા, પૂર્વેશભાઇ ભટ્ટ, દેવકરણભાઇ જોગરાણા, હાર્દિકભાઇ ટાંક તેમજ પી.એસ.આઇ. બી. વી. બોરીસાગર, પી.એસ.આઇ. એમ. એન. બોરીસાગર, કેતનભાઇ બોરીસાગર, અજયભાઇ દવે, મુકેશભાઇ વ્યાસ, આંબલીયા હનુમાનજીના મહંત બાલકૃષ્ણજી, શિક્ષણ સમિતિના સભ્ય ડો. પીનાબેન કોટક, રૃંધીબેન વ્યાસ, પાયલબેન શાહ, હિમાંશુભાઇ જોશી, આશિષભાઇ જાની, પંકજભાઇ રાવલ, હેતલબેન જાની, હરેશભાઇ ભટ્ટ, નલીનભાઇ ભટ્ટ મહાઆરતીનો લાભ લીધો હતો. કાર્યક્રમ તથા મહાઆરતીને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિશાંત રાવલ, વિશાલ આહ્યા, નીરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, પ્રશાંત ઓઝા, જય પુરોહીત, મયુર વોરા, મીત ભટ્ટ, ગોપાલભાઇ જાની, સંદીપભાઇ પંડયા, પુજન પંડયા, પરાગ મહેતા, ભરતભાઇ દવે, શીરીષભાઇ વ્યાસ, માનવ વ્યાસ, જીજ્ઞેશ ત્રિવેદી, રાજ દવે, જીજ્ઞેશ પુજારા, પ્રદીપ બોરીસાગર વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:53 pm IST)