રાજકોટ
News of Thursday, 17th September 2020

રાજકોટનું ગૌરવઃ છાયા મિશ્રાની બિહારમાં NIAના વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂંક

રાજકોટઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના વિશેષ સરકારી વકીલ તરીકે પટના હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીમતી છાયા મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓનો રાજકોટ સાથે ખાસ નાતો છે. તેઓ રાજકોટની એમ.બી. મહિલા કોલેજમાંથી સ્નાતક થયેલા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓ એલએલબી થયા છે.

બિહાર માટે એનઆઈએમાં ખાસ સરકારી વકીલ તરીકે નિયુકિત થઈ હોય તેવા તે પ્રથમ મહિલા વકીલ હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એક સૂચના અનુસાર શ્રીમતી છાયા મિશ્રા ખાસ નિયુકત કોર્ટ અને હાઇકોર્ટમાં એનઆઈએનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ૧૯૯૬ થી વકીલાત ક્ષેત્રે એકિટવ છે અને રેલવે મંત્રાલયમાં કેન્દ્ર સરકારના સલાહકાર અને વકીલ તરીકે હાલ કાર્યરત છે.

(3:28 pm IST)