માલવીયાનગરમાં મારામારીના ગુનામાં છૂટયા બાદ મેહુલ ઉર્ફે મામો ફરી પકડાયો
ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ ફીરોઝભાઇ શેખ સહિતે મેહુલને વાણીયાવાડી પાસેથી દબોચ્યો
રાજકોટ તા. ૧૭ :.. માલવીયાનગર વિસ્તારમાં મારામારીના ગુનામાં છૂટયા બાદ ૮૦ ફુટ રોડ વાણીયાવાડી પાસે કોઇ ગુનો આચરે તે પહેલા ભકિતનગર પોલીસે તેને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાની સુચનાથી એએસઆઇ ફીરોઝભાઇ શેખ તથા દિવ્યરાજસિંહ ઝાલા સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે ૮૦ ફુટ રોડ વાણીયાવાડી પાસે કપીલા હનુમાન મંદિર પાસે અંધારાનો લાભ લઇ કોઇ ગુનો આચરવાના ઇરાદે નીકળેલા મેહુલ ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.રર) (રહે. નવલનગર-૯ કૈલાશનગર શેરી નં. ર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મેહુલ ઉર્ફે મામો થોડા દિવસ પહેલા માલવીયાનગર વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. અને છૂટયા બાદ ફરી કોઇ ગુનો આચરવાના ઇરાદે નિકળતા ભકિતનગર પોલીસે પકડી લીધો હતો.